GPSC Updates on 31-03-2014
ANKURSIR
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટને લાગુ કરવા સાથે શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ આપવા માટે સારા લાયક શિક્ષકોની ભરતી થાય તે માટે કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય દ્વારા ૨૦૧૧થી સેન્ટ્રલ ટીચર એલિજિબિલીટી ટેસ્ટ લાગુ કરવામા આવી છે.જેમાં સીબીએસઈ સ્કૂલો અને કેન્દ્રિય વિદ્યાલય સહિતની તમામ શાળાઓમાં ધો.૧થીધો.૮ સુધીના શિક્ષકો માટે શિક્ષકોની લાયકાત નક્કી કરતી આ પરીક્ષા લેવામાં આવે છે.પરંતુ મહત્વનું છે કે છેલ્લા બે વર્ષથી આ પરીક્ષાનું પરિણામ ૧થી૨ બે ટકા જેટલું નહિવત કહી શકાય તેવું પરિણામ આવતા કેન્દ્રને સારા લાયકાતવાળા શિક્ષકો જ નથી મળતા. ગત વર્ષે સીટનું પરિણામ માત્ર ૧ ટકા આવ્યા બાદ આ વર્ષે પણ માત્ર બે જ ટકા પરિણામ આવ્યું છે અને ૯૮ ટકા ઉમેદવારો શિક્ષકો બનવા માટે લાયક જ નથી ઠર્યા.
| |||||||||||||||||||||
|