REVENU TALATI ANE GRAM PANCHAYAT TALATI BANNE KAMGIRI VISHE.
REVENU TALATI ANE GRAM PANCHAYAT TALATI BANNE KAMGIRI VISHE.
ગુજરાતમાં મહેસુલી કામગીરી માટેના અલગ તલાટીની કોઈ વ્યવસ્થા જ નહોતી. વર્ષ ૨૦૦૭ પછી મહેસૂલ વિભાગના સચિવોના આગ્રહને માથે ચઢાવનાર સરકારે મહેસુલના કામ માટે સરકારે અલગથી કેડર બનાવી હતી. વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૨માં અનુક્રમે ૧૨૦૦ અને ૪૧૦૦ તલાટીની ભરતી પણ કરી.
માત્ર'ત્રણકામ' કરવા માટે મહેસુલી તલાટીની ભરતી !
પરંતુ, તેના અનુભવો સારા રહ્યા નથી. '૦૮ની નિમણુંકોમાંથી ૬૦૦ જેટલા નોકરી છોડી ચૂક્યા છે. વર્ષ '૧૨માં ૪૧૦૦ની ભરતીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારોની જ પસંદગી અને તેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો હજી ચાલુ છે. એટલુ જ નહિ, મહેસુલના તલાટીનો 'જોબ વર્ક ચાર્ટ' તૈયાર જ નથી. અત્યારે મહેસૂલી તલાટી પાસે ૧૩૫-ડીની નોટીસ બજાવવા, સરકારી જમીનમાં દબાણ હટાવવા અને શરતભંગનો કેસ દાખલ કરવા એમ કુલ 'ત્રણ' જ કામ લેવાય છે. મોટા ભાગની મહેસૂલી કામગીરી તાલુકા મથકે ઈ-ધરા કેન્દ્ર હસ્તક થઈ ગઈ છે. ત્યારે નવી ૧૫૦૦ની ભરતી સામે ૧૪૦થી વધારે કામના દબાણ ઉપરાંત ભારત અને ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્યસ્તરે અમલમાં મૂકતા પંચાયતના તલાટીના સંગઠને ઉઠાવ્યા છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમાએ 'સંદેશ' સાથેની વાતચીતમાં કહ્યુ કે '' અત્યારે પણ મહેસૂલના તલાટીઓ નવરા ફરે છે. તેમની પાસે કોઈ સરકારી કામ નથી. ગ્રામકક્ષાએ નમુના નંબર ૧થી ૧૮માંથી ૬,૭,૮,૧૨ના ઉતારા તો કમ્પ્યુરાઈઝ થઈ ગયા છે. મહેસૂલ માફ છે. તો પછી મહેસુલના તલાટીઓને કરવાનુ શું ? ૨૦૦૮ અને ત્યાર પછી નિમણુંક પામેલા મહેસૂલી તલાટીઓ પાસે કંઈ કામ જ નથી. સરકાર પણ આ સ્થિતિથી વાકેફ છે. છતાંયે પંચાયતના તલાટી કમ મંત્રીઓની ખાલી પડેલી ૪,૨૩૦ અને આગામી એક વર્ષમાં ખાલી થનારી વધુ ૧૨૦૦ એમ કુલ ૫,૪૩૦ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે ભ્રષ્ટાચારને પોષવા મહેસૂલી સંવર્ગની ભરતી કરી રહી છે'' છેલ્લા બે વર્ષથી મહેસૂલની નવી નિમણૂંક અને પંચાયતના તલાટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ નવી ભરતીટાણે વકરવાના એંધાણ છે. આગામી સમયમાં રાજ્યના ૧૩,૭૩૧ ગ્રામ પંચાયતના ૭,૮૯૧ તલાટી કમ મંત્રી પોતાના શોષણ મુદ્દે આંદોલન છેડે તો નવાઈ નહી.
ગામના'ચીફ સેક્રેટરી' તલાટી- તલાટીમાં ફેર
ગુજરાત સિવાય દેશના કોઈ રાજ્યમાં મહેસૂલના તલાટી એવી અલગ કેડરો નથી. મોટાભાગના રાજ્યોમાં પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ પંચાયત અને મહેસૂલ સહિતના કામ માટે એક જ 'પટવારી' હોય છે. ગુજરાતમાં નવી કેડર રચતા રાજ્યના ૧૮,૩૦૦ ગામડા અને ૬૦૦ પેટાપરાનો વહિવટમાં તલાટી- તલાટી વચ્ચેના કામમાં કેટલોક તફાવત રહેલો છે. જે અત્રે પ્રસ્તૃત છે.
પંચાયતના તલાટી
* ૧૧,૯૧૪ મંજૂર થયેલી જગ્યા સામે માત્ર ૭૮૯૧ જ ભરાયેલી છે.
* પંચાયત વિભાગ હેઠળ ગ્રામ વિકાસનુ કામ ૨૦,૦૦૦માં કરે છે.
* કુલ ૧૪૦ પ્રકારની કામગીરી ઉપરાંત આંગણવાડી, પોલીયો, આવાસ યોજના, શૌચાલય, મનરેગા, કૃષિરથ, પ્રવેશોત્સવ, આરોગ્ય મેળા જેવા ઉત્સવો,મેળાઓ. ચૂંટણી, જન્મ-મરણ, લગ્નની નોંધણી એવા અનેક મલ્ટીફંકશન વર્કનુ ભારણ.
મહેસુલના તલાટી
* મંજૂર મહેકમનો આંકડો નથી. બે વખતની ભરતીમાં ૬૦૦એ નોકરી છોડી.
* રૂ.૫,૩૦૦ના ફિક્સ વેતનમાં પાંચ વર્ષ નોકરી બાદ મામલદાર સુધીની તક
* મોટાભાગનુ કામ કમ્પ્યુટરાઈઝ. મહેસુલના કામોમાં મુખ્યત્વે ૧૩૫ની નોટીસ બજાવવી, સરકારી જમીનનુ દબાણ દૂર કરવુ અને શરતભંગના કેસો દાખલ કરવા
ગુજરાતમાં મહેસુલી કામગીરી માટેના અલગ તલાટીની કોઈ વ્યવસ્થા જ નહોતી. વર્ષ ૨૦૦૭ પછી મહેસૂલ વિભાગના સચિવોના આગ્રહને માથે ચઢાવનાર સરકારે મહેસુલના કામ માટે સરકારે અલગથી કેડર બનાવી હતી. વર્ષ ૨૦૦૮ અને ૨૦૧૨માં અનુક્રમે ૧૨૦૦ અને ૪૧૦૦ તલાટીની ભરતી પણ કરી.
માત્ર'ત્રણકામ' કરવા માટે મહેસુલી તલાટીની ભરતી !
પરંતુ, તેના અનુભવો સારા રહ્યા નથી. '૦૮ની નિમણુંકોમાંથી ૬૦૦ જેટલા નોકરી છોડી ચૂક્યા છે. વર્ષ '૧૨માં ૪૧૦૦ની ભરતીમાં સુરેન્દ્રનગર જિલ્લાના ઉમેદવારોની જ પસંદગી અને તેને લઈને ભ્રષ્ટાચારના આક્ષેપો હજી ચાલુ છે. એટલુ જ નહિ, મહેસુલના તલાટીનો 'જોબ વર્ક ચાર્ટ' તૈયાર જ નથી. અત્યારે મહેસૂલી તલાટી પાસે ૧૩૫-ડીની નોટીસ બજાવવા, સરકારી જમીનમાં દબાણ હટાવવા અને શરતભંગનો કેસ દાખલ કરવા એમ કુલ 'ત્રણ' જ કામ લેવાય છે. મોટા ભાગની મહેસૂલી કામગીરી તાલુકા મથકે ઈ-ધરા કેન્દ્ર હસ્તક થઈ ગઈ છે. ત્યારે નવી ૧૫૦૦ની ભરતી સામે ૧૪૦થી વધારે કામના દબાણ ઉપરાંત ભારત અને ગુજરાત સરકારની તમામ યોજનાઓને ગ્રામ્યસ્તરે અમલમાં મૂકતા પંચાયતના તલાટીના સંગઠને ઉઠાવ્યા છે.
ગુજરાત રાજ્ય તલાટી મહામંડળના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમાએ 'સંદેશ' સાથેની વાતચીતમાં કહ્યુ કે '' અત્યારે પણ મહેસૂલના તલાટીઓ નવરા ફરે છે. તેમની પાસે કોઈ સરકારી કામ નથી. ગ્રામકક્ષાએ નમુના નંબર ૧થી ૧૮માંથી ૬,૭,૮,૧૨ના ઉતારા તો કમ્પ્યુરાઈઝ થઈ ગયા છે. મહેસૂલ માફ છે. તો પછી મહેસુલના તલાટીઓને કરવાનુ શું ? ૨૦૦૮ અને ત્યાર પછી નિમણુંક પામેલા મહેસૂલી તલાટીઓ પાસે કંઈ કામ જ નથી. સરકાર પણ આ સ્થિતિથી વાકેફ છે. છતાંયે પંચાયતના તલાટી કમ મંત્રીઓની ખાલી પડેલી ૪,૨૩૦ અને આગામી એક વર્ષમાં ખાલી થનારી વધુ ૧૨૦૦ એમ કુલ ૫,૪૩૦ જગ્યાઓ પર ભરતી કરવાને બદલે ભ્રષ્ટાચારને પોષવા મહેસૂલી સંવર્ગની ભરતી કરી રહી છે'' છેલ્લા બે વર્ષથી મહેસૂલની નવી નિમણૂંક અને પંચાયતના તલાટીઓ વચ્ચે ચાલી રહેલો વિવાદ નવી ભરતીટાણે વકરવાના એંધાણ છે. આગામી સમયમાં રાજ્યના ૧૩,૭૩૧ ગ્રામ પંચાયતના ૭,૮૯૧ તલાટી કમ મંત્રી પોતાના શોષણ મુદ્દે આંદોલન છેડે તો નવાઈ નહી.
ગામના'ચીફ સેક્રેટરી' તલાટી- તલાટીમાં ફેર
ગુજરાત સિવાય દેશના કોઈ રાજ્યમાં મહેસૂલના તલાટી એવી અલગ કેડરો નથી. મોટાભાગના રાજ્યોમાં પંચાયતી રાજ વ્યવસ્થા હેઠળ પંચાયત અને મહેસૂલ સહિતના કામ માટે એક જ 'પટવારી' હોય છે. ગુજરાતમાં નવી કેડર રચતા રાજ્યના ૧૮,૩૦૦ ગામડા અને ૬૦૦ પેટાપરાનો વહિવટમાં તલાટી- તલાટી વચ્ચેના કામમાં કેટલોક તફાવત રહેલો છે. જે અત્રે પ્રસ્તૃત છે.
પંચાયતના તલાટી
* ૧૧,૯૧૪ મંજૂર થયેલી જગ્યા સામે માત્ર ૭૮૯૧ જ ભરાયેલી છે.
* પંચાયત વિભાગ હેઠળ ગ્રામ વિકાસનુ કામ ૨૦,૦૦૦માં કરે છે.
* કુલ ૧૪૦ પ્રકારની કામગીરી ઉપરાંત આંગણવાડી, પોલીયો, આવાસ યોજના, શૌચાલય, મનરેગા, કૃષિરથ, પ્રવેશોત્સવ, આરોગ્ય મેળા જેવા ઉત્સવો,મેળાઓ. ચૂંટણી, જન્મ-મરણ, લગ્નની નોંધણી એવા અનેક મલ્ટીફંકશન વર્કનુ ભારણ.
મહેસુલના તલાટી
* મંજૂર મહેકમનો આંકડો નથી. બે વખતની ભરતીમાં ૬૦૦એ નોકરી છોડી.
* રૂ.૫,૩૦૦ના ફિક્સ વેતનમાં પાંચ વર્ષ નોકરી બાદ મામલદાર સુધીની તક
* મોટાભાગનુ કામ કમ્પ્યુટરાઈઝ. મહેસુલના કામોમાં મુખ્યત્વે ૧૩૫ની નોટીસ બજાવવી, સરકારી જમીનનુ દબાણ દૂર કરવુ અને શરતભંગના કેસો દાખલ કરવા