STD. 11 MA SIXAKO NI GHAT
STD. 11 MA SIXAKO NI GHAT
ધોરણ-૧૧ના વિવિધ વિષયના શિક્ષકની ધટ હજુ પણ યથાવત
શિક્ષકોના પગાર પણ સ્થાનિક મંડળો દ્વારા થાય છે : વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર : માધ્યમિક શાળાઓમાં ધો. ૧૧ના કોમર્સના વર્ગ શરૂ કર્યાને એક વર્ષ પણ દુવિધા
અમદાવાદ, તા. ૩૦,ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે જે શાળાઓમાં ધો-૧૧ સામાન્ય પ્રવાહનો સંળગ એકમ તરીકે વર્ગ શરૂ કરવાની મંજુરી આપી તેવી શાળાઓમાં આજે એક વર્ષીય ધો-૧૧ના વિવિધ વિષયોના શિક્ષકોની ધટ પૂરાતી નથી. જેની વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર દુરગામી અસર થઈ રહી હોવાની બૂમ ઉઠી છે.
સરકારના માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધો-૮ના વર્ગોને માધ્યમિક સ્તરથી બંધ કરી ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાયો હતો. જેને લીધે તેવી માધ્યમિક શાળાઓમાં ધો-૮ના વર્ગો બંધ કરાયા. બીજી તરફ ધો-૧૧ સામાન્ય પ્રવાહને સળંગ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સમાવેશ કરાતા તે વર્ગો શરૂ કરવાની તંત્રે પરવાનગી આપી. તે મુજબ ખેડા જિલ્લાની ધણી માધ્યમિક શાળાઓએ ધો-૧૧ સામાન્ય પ્રવાહનો વર્ગ શરૂ કર્યો, પરંતુ તેવી શાળાઓમાં ધો-૧૧ વિષય સંબંધિત શિક્ષકોની ધટ હજુ પુરાતી નથી. નવા શિક્ષકોની નિમણુંક થતી નથી. જે તે શાળા કેળવણી મંડળો દ્વારા હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરી તેમને મંડળ દ્વારા જ પગારો ચુકવાઈ રહ્યા છે. જેનું ભારણ કેળવણી મંડળના શિરે રહે છે. બીજી તરફ ધો-૮નું જે શાળાઓમાં બંધ થતું તે ફાજલ પડેલા શિક્ષકો અન્યત્ર સરકારી શાળાઓમાં ફરજ બજાવે છે. જો આ ફાજલ પડેલા શિક્ષકોને તેમની માતળસંસ્થામાં જ ધો-૧૧ના જે તે વિષય સંબંધિત શિક્ષક તરીકે પુનઃ નિયુક્ત કરાય તો સમગ્ર પ્રશ્ન હલ થઈ શકે તેમ છે
ધોરણ-૧૧ના વિવિધ વિષયના શિક્ષકની ધટ હજુ પણ યથાવત
શિક્ષકોના પગાર પણ સ્થાનિક મંડળો દ્વારા થાય છે : વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર : માધ્યમિક શાળાઓમાં ધો. ૧૧ના કોમર્સના વર્ગ શરૂ કર્યાને એક વર્ષ પણ દુવિધા
અમદાવાદ, તા. ૩૦,ગુજરાત રાજ્ય માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત વર્ષે જે શાળાઓમાં ધો-૧૧ સામાન્ય પ્રવાહનો સંળગ એકમ તરીકે વર્ગ શરૂ કરવાની મંજુરી આપી તેવી શાળાઓમાં આજે એક વર્ષીય ધો-૧૧ના વિવિધ વિષયોના શિક્ષકોની ધટ પૂરાતી નથી. જેની વિદ્યાર્થીઓના શૈક્ષણિક ભવિષ્ય પર દુરગામી અસર થઈ રહી હોવાની બૂમ ઉઠી છે.
સરકારના માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગ દ્વારા ધો-૮ના વર્ગોને માધ્યમિક સ્તરથી બંધ કરી ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં સમાવેશ કરાયો હતો. જેને લીધે તેવી માધ્યમિક શાળાઓમાં ધો-૮ના વર્ગો બંધ કરાયા. બીજી તરફ ધો-૧૧ સામાન્ય પ્રવાહને સળંગ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સમાવેશ કરાતા તે વર્ગો શરૂ કરવાની તંત્રે પરવાનગી આપી. તે મુજબ ખેડા જિલ્લાની ધણી માધ્યમિક શાળાઓએ ધો-૧૧ સામાન્ય પ્રવાહનો વર્ગ શરૂ કર્યો, પરંતુ તેવી શાળાઓમાં ધો-૧૧ વિષય સંબંધિત શિક્ષકોની ધટ હજુ પુરાતી નથી. નવા શિક્ષકોની નિમણુંક થતી નથી. જે તે શાળા કેળવણી મંડળો દ્વારા હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરી તેમને મંડળ દ્વારા જ પગારો ચુકવાઈ રહ્યા છે. જેનું ભારણ કેળવણી મંડળના શિરે રહે છે. બીજી તરફ ધો-૮નું જે શાળાઓમાં બંધ થતું તે ફાજલ પડેલા શિક્ષકો અન્યત્ર સરકારી શાળાઓમાં ફરજ બજાવે છે. જો આ ફાજલ પડેલા શિક્ષકોને તેમની માતળસંસ્થામાં જ ધો-૧૧ના જે તે વિષય સંબંધિત શિક્ષક તરીકે પુનઃ નિયુક્ત કરાય તો સમગ્ર પ્રશ્ન હલ થઈ શકે તેમ છે